॥ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાએ પર વચન ન જાય ॥
શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજિત
રામનવમી અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન
જામનગરમાં છેલ્લા ૧૧ વર્ષથી શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ (રામનવમી) ધામધૂમથી ઊજવવાનું આયોજન સુનિશ્ચિત કરેલ છે. પરમકૃપાળુ મર્ચાદા પુરૂષોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના અનરાધાર આશિષથી ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ (રામનવમી) પરંપરાગત રીતે ઊજવવા શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામનવમીના પારણા અંતર્ગત આગામી ચૈત્ર સુદ-૧૦, શનિવાર તા. ૨૮-૦૩-૨૦૨૬ ના રોજ "લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત)" આયોજિત કરવામાં આવેલ છે. જે અનુસંધાને વિવિધ કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. જેમાં આપશ્રીને સહપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ છે.
✦ કાર્યક્રમની રૂપરેખા ✦
તા. ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવાર, સવારે ૭-૩૦ કલાકે
📍 સ્થળ: પાંજરાપોળ, લીમડાલાઈન, જામનગર
તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર — સાંજે ૫-૦૦ કલાકે
સમૂહ ભોજન (નાત)
તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર
સાંજે ૬-૩૦ કલાકે
સમૂહ ભોજન (નાત)
તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર
સાંજે ૭-૦૦ થી ૯-૩૦ કલાકે
"અયોધ્યાનગરી", જલારામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ,
હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, ન્યારા પેટ્રોલ પંપ સામે, જામનગર.
સૌ ભક્તજનો, સ્નેહીઓ તથા સમાજ-બંધુઓને સહ-પરિવાર પધારી આ ઉત્સવને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા હૃદયપૂર્વક આમંત્રણ છે. આ ઉત્સવ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક એકતાનો ઉત્તમ અવસર છે.
નૉંધ: જે અશક્ત - બીમાર - વયોવૃદ્ધ વડીલો મહાપ્રસાદ લેવા આવી શકે નહિ તેમના માટે ટિફીન સેવાની વ્યવસ્થા છે. આ માટે અગાઉથી નામ નૉંધણી તા. ૨૦ થી ૨૫ માર્ચ સુધીમાં સાંજે ૦૫-૦૦ થી ૦૭-૦૦ વાગ્યા દરમિયાન શ્રી મૉડી લોહાણા મહાજન વાડી ખાતે કરાવીને પાસ મેળવી લેવાને રહેશો. આ પાસ પર જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી ટિફીન આપવામાં આવશે. વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા વિનંતી.
